ભાવનગરના કાળિયાબીડમાં મકાનનું તાળું તોડી ૧.૪૦ લાખના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી
ભાવનગરના કાળિયાબીડમાં મકાનનું તાળું તોડી ૧.૪૦ લાખના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી
Published on: 23rd August, 2026

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે. કડિયાકામ કરતા કરશનભાઇ બારૈયા મરણ પ્રસંગે પરિવાર સાથે ઘરને તાળું મારી બહાર ગયા હતા. આ તકનો લાભ લઇ અજાણ્યો ચોર ઇસમ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યો હતો. ચોરે કબાટમાંથી કુલ રૃ. ૧,૪૦,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. આ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.