અમૃતસરમાં મોડી રાતે ડ્યુટી પર તહેનાત ASIની ગોળી મારી હત્યા
અમૃતસરમાં મોડી રાતે ડ્યુટી પર તહેનાત ASIની ગોળી મારી હત્યા
Published on: 18th September, 2026

પંજાબના અમૃતસરમાં ગત રાત્રે ડ્યુટી પર તૈનાત ASI હરજીત સિંહની અજ્ઞાત હુમલાખોરો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી. 'તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન' નામના આતંકી સંગઠને આ હત્યાની જવાબદારી સ્વીકારી છે, પરંતુ પંજાબ પોલીસે આ આતંકી એન્ગલનું ખંડન કર્યું છે. મુખ્યમંત્રીએ શહીદના પરિવાર માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. DGP ગૌરવ યાદવે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ટીમોની રચના કરી છે. આ ઘટના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે.