નાઈજિરિયામાં ચોંકાવનારી ઘટના, અટકાયતમાં લીધેલા 37 લોકોના મોત
નાઈજિરિયામાં ચોંકાવનારી ઘટના, અટકાયતમાં લીધેલા 37 લોકોના મોત
Published on: 18th September, 2026

નાઈજીરીયાના નાઈજર રાજ્યમાં સુરક્ષા કસ્ટડીમાં 37 શંકાસ્પદ ગેરકાયદે ખનનકર્તાઓના મોતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 'નાઈજીરીયા સિક્યોરિટી એન્ડ સિવિલ ડિફેન્સ કૉર્પ્સ' (NSCDC)ની કસ્ટડીમાં હતા. ગવર્નર મોહમ્મદ ઉમરુ બાગીએ આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી તપાસ સમિતિની રચના કરી છે અને ત્રણ દિવસના શોકની જાહેરાત સાથે ચૂંટણી પ્રચાર સ્થગિત કર્યો છે. આ લોકોની ગેરકાયદે ખનન ગતિવિધિઓમાં સંડોવણીના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી. NSCDCના દાવા મુજબ બીમારી ફેલાવાને કારણે મોત થયા, જ્યારે ગુપ્તચર રિપોર્ટ ક્ષમતા કરતાં વધુ લોકોને રાખવા અને વેન્ટિલેશનના અભાવ તરફ ઈશારો કરે છે.