કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોનો અનોખો વિરોધ
કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોનો અનોખો વિરોધ
Published on: 18th September, 2026

નાસિક જિલ્લાના નિફાડ પાલિકામાં રખડતા કૂતરાઓના ત્રાસથી પરેશાન લોકોએ અધિકારીઓનું ધ્યાન ખેંચવા અનોખો રસ્તો અપનાવ્યો. શિવસેના (યુબીટી) કાર્યકરો કોથળાઓમાં ગલુડિયાં ભરીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં પહોંચ્યા અને ટેબલ પર છોડી દીધા. જેના કારણે ઓફિસમાં ધમાલ મચી ગઈ. કાર્યકરોએ જણાવ્યું કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વધુ કૂતરાઓ લાવવાની ચીમકી ઉચ્ચારી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે કાર્યકરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.