વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા
વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા
Published on: 26th July, 2026

લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલભાઈ પ્રવિણભાઈ નાયકને સાવલી કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 5 હજારનો દંડ પણ કર્યો છે. આરોપીએ સગીરાને સુરેન્દ્રનગરના ચુડા ગામે ખેતરમાં રાખીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં 12 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશે પોક્સો એક્ટ હેઠળ સજાનો હુકમ કર્યો. પીડિતાના પુનઃસ્થાપન માટે 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.