જામનગરમાં બાળકોના રમવા મુદ્દે ઝઘડો
જામનગરમાં બાળકોના રમવા મુદ્દે ઝઘડો
Published on: 30th August, 2026

મનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘર બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ગંભીર વળાંક લીધો, જેમાં 64 વર્ષીય ઈબ્રાહીમભાઈ સીદીકભાઈ ચાકીની લાકડાના ધોકા મારી હત્યા કરવામાં આવી. પાડોશી મહિલા હવાબેન અસલમભાઈ ઘાંચીએ તેમના પુત્ર અમન અસલમભાઈ ઘાંચીને ઈબ્રાહીમભાઈને "પતાવી દે" તેમ કહેતાં, અમને લાકડાના ધોકાથી તેમના માથા પર ઘા કર્યો. ગંભીર ઇજાને કારણે ઈબ્રાહીમભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃતકના પુત્રની ફરિયાદ પર પોલીસે માતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.