પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ જતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ૨૦૨૬ સુધી લંબાવાયા
પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ જતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ૨૦૨૬ સુધી લંબાવાયા
Published on: 30th August, 2026

વડોદરા રેલવે વિભાગે પ્રતાપનગરથી લાલકુઆં અને મઉ વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા મુસાફરોની સુવિધા માટે લંબાવ્યા છે. પ્રતાપનગર–લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા 29 નવેમ્બર, 2026 સુધી અને લાલકુઆં–પ્રતાપનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા 30 નવેમ્બર, 2026 સુધી રહેશે. પ્રતાપનગર–મઉ સ્પેશિયલ ટ્રેન 28 નવેમ્બર, 2026 સુધી જ્યારે મઉ–પ્રતાપનગર સ્પેશિયલ ટ્રેનના ફેરા 29 નવેમ્બર, 2026 સુધી લંબાવાયા છે. આ ટ્રેનો માટે 1 સપ્ટેમ્બર, 2026થી PRS કાઉન્ટરો અને IRCTC પર બુકિંગ શરૂ થશે.