જામનગરમાં 17 વર્ષની કિશોરીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરમાં 17 વર્ષની કિશોરીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Published on: 30th August, 2026

જામનગર શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં 17 વર્ષની આનંદીબેન ગોહીલે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું. આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. પિતા મનોજભાઈ ગોહીલની જાણ પરથી પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.