અભિનેતા ચંદ્રચૂડ સિંહના પરિવારમાં સંપત્તિ વિવાદ
અભિનેતા ચંદ્રચૂડ સિંહના પરિવારમાં સંપત્તિ વિવાદ
Published on: 30th August, 2026

બૉલિવૂડ અભિનેતા ચંદ્રચૂડ સિંહે તેમના પરિવારના સભ્યો સામે બનાવટી વસીયતનામું ઊભું કરીને દાદાની પુશ્તૈની જમીન અને સંપત્તિ હડપ કરવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ (FIR) નોંધાવી છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં જલાલપુર ગામની જમીનને લઈને આ વિવાદ શરૂ થયો છે. ચંદ્રચૂડ સિંહે તેમની ફોઈ ગાયત્રી દેવી, બે પિતરાઈ ભાઈઓ અને અન્ય ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે 1997માં દાદાની નાજુક તબિયતનો ફાયદો ઉઠાવીને ખોટી સહીઓ કરવામાં આવી હતી અને તેમના પિતાનો વારસાઈ હક છીનવી લેવાયો હતો.