છોટા ઉદેપુરના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
છોટા ઉદેપુરના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
Published on: 30th August, 2026

છોટા ઉદેપુરમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના તળાવમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યો છે તેની દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.