વલસાડ જિલ્લામાં પૂર બાદ ખેડૂતોએ ફરી શરૂ કરી રોપણી
વલસાડ જિલ્લામાં પૂર બાદ ખેડૂતોએ ફરી શરૂ કરી રોપણી
Published on: 30th July, 2026

વલસાડ જિલ્લામાં તા.23-24 જુલાઈના રોજ આવેલા વિનાશક પૂર બાદ ખેડૂતોએ હિંમત ગુમાવી નથી. ધોવાઈ ગયેલા પાકો વચ્ચે, કુદરત પર ભરોસો રાખી અને ફેર રોપણીની કામગીરી શરૂ કરી છે. ચોમાસાના વિલંબ બાદ વરસાદ પડતાં ડાંગરની રોપણી કરાઈ હતી, પરંતુ અતિવૃષ્ટિએ બધું જ ધોઈ નાખ્યું. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં 52 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો હતો. આર્થિક નુકસાન અને ઘરવિહોણા થયા હોવા છતાં, ખેડૂતો બચેલા ધરુ વડે ફરીથી વાવણી કરી સારા પાકની આશા રાખી રહ્યા છે.