નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ વિવાદ
નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ વિવાદ
Published on: 30th July, 2026

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે ફરી તણાવ સર્જાયો છે. ખોપી અને હલગામ પાડી જેવા ગામોના લોકો વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી ખેડાણ કરવા પહોંચતા પરિસ્થિતિ વણસી હતી. સાંસદના આહ્વાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ખેતરોમાં એકઠા થયા હતા. વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ખેડાણ અટકાવ્યું, જેના કારણે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો. આ વિવાદ હજુ યથાવત છે.