ગુજરાતમાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી!
ગુજરાતમાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી!
Published on: 30th July, 2026

ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો આંકડો ચિંતાજનક છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧,૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. શિક્ષણનું વ્યાપારીકરણ, વારંવાર પેપર લીક, પરીક્ષાનું માનસિક દબાણ અને ભવિષ્યની બેરોજગારી આ સ્થિતિ માટે મુખ્ય પરિબળો છે. ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, જે દર્શાવે છે કે દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીઓ જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ અને રોજગારી ન મળવાના લીધે ૧૫૯ યુવાનોએ આ પગલું ભર્યું. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૨૪થી વધુ દીકરીઓએ આપઘાત કર્યો છે.