અમદાવાદના રામોલમાં બહારગામ ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા
અમદાવાદના રામોલમાં બહારગામ ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા
Published on: 30th July, 2026

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન વ્યવસાયીના બંધ મકાનમાંથી ત્રણ બુકાનીધારી તસ્કરોએ 31.85 લાખ રૂપિયાથી વધુની સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર બહારગામ ગયો હતો. પડોશીની જાગૃતિ અને બૂમાબૂમથી તસ્કરો ઘરની બહાર દોડી આવ્યા અને ટુ-વ્હીલર પર ભાગી છૂટ્યા. રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.