આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છે. પર્યાવરણ માનવજીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલું છે. તેથી કહી શકાય કે પર્યાવરણ વગર માનવજીવન શક્ય નથી. આપણે એ પણ સમજીએ છીએ કે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો વગેરે પર્યાવરણના વિવિધ ભાગ છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 1972માં સંયુક્ત રાષ્ટ્રના 114 સભ્ય દેશોની મળેલી પરિષદે 5 જૂને એક બહુ...