રાજકોટમાં ભારે વરસાદથી ત્રણ ગામમાં મકાનની દીવાલ તૂટી
રાજકોટમાં ભારે વરસાદથી ત્રણ ગામમાં મકાનની દીવાલ તૂટી
Published on: 26th July, 2026

રાજકોટ જિલ્લામાં શુક્રવારે થયેલા ભારે વરસાદને કારણે નવાગામમાં ગોમટા-નિલાખા ભાદર ડેમ રોડ પર રાજાશાહી વખતની રક્ષણાત્મક દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના લીધે વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ હતી. માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કામગીરી કરીને રોડને પુનઃ શરૂ કર્યો. આ ઉપરાંત, પડધરીના અમરેલી અને ખાખડાબેલા ગામમાં મકાનની કમ્પાઉન્ડ વોલ અને દીવાલો પડી જવાના બનાવો પણ નોંધાયા હતા.