રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે અબોલ જીવોની સેવા
રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે અબોલ જીવોની સેવા
Published on: 26th July, 2026

રાજકોટમાં ભારે વરસાદ વરસતા રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટે પશુ-પક્ષીઓને ખોરાક પહોંચાડવાનું સેવાકાર્ય શરૂ કર્યું છે. ગત રાત્રિના વરસાદ બાદ ટ્રસ્ટના ફક્ત 4 સભ્યોએ 115 કિલોમીટર વિસ્તારમાં 600થી વધુ અબોલ જીવોને દૂધ, બિસ્કિટ અને ચણ જેવો ખોરાક પહોંચાડ્યો હતો. આ કાર્ય માટે એક ટ્રક અને એક રિક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીમાર ગાયો માટે પણ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ આગળ પણ આ કાર્ય ચાલુ રાખશે અને જરૂરિયાતમંદ ગાયોની સંભાળ માટે 24 કલાક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.