મોરબીમાં કેનાલ તૂટતાં સરગવાનો પાક પાણીમાં ગરકાવ
મોરબીમાં કેનાલ તૂટતાં સરગવાનો પાક પાણીમાં ગરકાવ
Published on: 26th July, 2026

મોરબી નજીક લખધીરપુર પાસે સિંચાઈ કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. સતત વરસાદથી પહેલેથી પ્રભાવિત ખેતરોમાં કેનાલના ધસમસતા પાણી ઘૂસી જતાં શાકભાજી અને સરગવાનો ઊભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હતો. ખેડૂત દેવજીભાઈ ગંગારામની 18 વીઘા જમીન પૈકી 4 વીઘામાં કરાયેલું શાકભાજી, ગલકા, દૂધી, કાકડી, ઘિસોડા સહિતના પાકને નુકસાન થયું હતું. આ ઘટનામાં લગભગ 3 થી 4 વીઘા જેટલી ફળદ્રુપ જમીનનું ધોવાણ થયું છે, જેના કારણે ખેડૂતને મોટો આર્થિક ફટકો પડ્યો છે.