450 કરોડનો સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ મિંઢોળા નદીના કારણે જોખમમાં
450 કરોડનો સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ મિંઢોળા નદીના કારણે જોખમમાં
Published on: 26th July, 2026

સુરત શહેરમાંથી નીકળતા હજારો ટન કચરાના નિકાલ માટે ઉંબેર ખાતે રૂ. 450 કરોડનો સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે. જોકે, મિંઢોળા નદીના કિનારે આ સાઇટ હોવાથી અને દર વર્ષે ચોમાસામાં આવતા પૂરથી તેની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. નદી ઓવરફ્લો થતાં ખાડીનું પાણી નદીમાં ભળી શકતું નથી, જેના કારણે સુરતના વિસ્તારોમાં ખાડીપૂરની સમસ્યા સર્જાય છે. આ સ્થિતિમાં, નવી સાઇટ શરૂ થયા પછી કચરાના નિકાલનું શું થશે તે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે.