બોપલમાં વરસાદી પાણી ન ઓસરતા નાગરિકોએ મેયરને ઘેર્યા
બોપલમાં વરસાદી પાણી ન ઓસરતા નાગરિકોએ મેયરને ઘેર્યા
Published on: 26th July, 2026

અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવતા બોપલ વિસ્તારમાં વરસાદ બંધ થયાના દિવસો બાદ પણ ઘરોમાં પાણી ભરાયેલા રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મેયર હિતેશ બારોટ જાત માહિતી લેવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. છેલ્લા બે દિવસથી ૨-૩ ફૂટ પાણીમાં રહેતા લોકોએ નગરપાલિકા સમય કરતાં પણ ખરાબ સ્થિતિ હોવાની રજૂઆત કરી. પાણી નિકાલ માટે પંપ હોવા છતાં AMCના કર્મચારીઓની ગેરહાજરીમાં મેયરે જાતે પંપ ચાલુ કર્યા.