ભારત સહિત વિશ્વમાં દુષ્કાળની આશંકા
ભારત સહિત વિશ્વમાં દુષ્કાળની આશંકા
Published on: 03rd June, 2026

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ અલ નીનો (El Niño) ના કારણે જૂનથી ઓગસ્ટ દરમિયાન ભારતમાં સહિત વિશ્વભરમાં દુષ્કાળ, પૂર, હીટવેવ અને હવામાનના ખતરનાક સ્વરૂપોની ચેતવણી આપી છે. પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ પાણી ગરમ થવાને કારણે અલ નીનો બનવાની સંભાવના 80% છે, જે નવેમ્બર સુધીમાં 90% સુધી પહોંચી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને, કૃષિ મંત્રાલયે રાજ્યોને જિલ્લા સ્તરે યોજનાઓ લાગુ કરવા અને ખેડૂતો સુધી ડિજિટલ માધ્યમોથી માહિતી પહોંચાડવા નિર્દેશ આપ્યો છે. WMO એ અસરગ્રસ્ત દેશોને યુદ્ધના ધોરણે તૈયાર રહેવા જણાવ્યું છે.