મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત!
મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત!
Published on: 03rd June, 2026

કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ એરપોર્ટના ટર્મિનલ-1ને નુકસાન પહોંચતાં હવાઈ ટ્રાફિક સ્થગિત કરાયો છે. ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરીને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને સહાય માટે કુવૈતી સત્તાધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે. ઘાયલોમાંથી 7 લોકોની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે અને ગંભીર દર્દીઓની સતત સારવાર ચાલી રહી છે.