આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારીઓ
આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારીઓ
Published on: 03rd June, 2026

ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)ના મૃત્યુના ઘણા મહિનાઓ બાદ તેમની દફનવિધિની જાહેરાત કરવામાં આવી છે. આ ભવ્ય કાર્યક્રમમાં અંદાજે 2 કરોડ લોકો સામેલ થાય તેવી શક્યતા છે. ટેહરાન, કોમ અને મશહદમાં ત્રણ દિવસીય કાર્યક્રમો યોજાશે. દફનવિધિ ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમની શરૂઆતમાં, એટલે કે જૂનના મધ્યમાં યોજાઈ શકે છે. ટેહરાનમાં 24 કલાકથી વધુ ચાલનાર આ અંતિમ યાત્રા બાદ પાર્થિવ દેહને કોમ અને મશહદ લઈ જવાશે, જ્યાં અંતિમ વિધિ ઈમામ રઝા (અ.સ.)ની પવિત્ર દરગાહમાં થશે.