સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: જમીન સંપાદન હેઠળની ખેતીની જમીન એક વર્ષ સુધી NA નહીં થાય.
સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: જમીન સંપાદન હેઠળની ખેતીની જમીન એક વર્ષ સુધી NA નહીં થાય.
Published on: 03rd June, 2026

રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવવાની પ્રવૃત્તિ પર રોક લગાવી છે. સરકારી પ્રોજેક્ટ્સ, જેમ કે રેલવે, હાઈવે, એરપોર્ટ વગેરેમાં સંપાદન થવાની શક્યતા ધરાવતી જમીનો પર આ નિયમ લાગુ પડશે. હવે, પ્રોજેક્ટનો ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર થવાનું શરૂ થાય ત્યારથી જ, સંપાદન હેઠળ આવનારા ગામોમાં એક વર્ષ સુધી NAની કાર્યવાહી સ્થગિત કરવામાં આવશે. આ પગલાનો હેતુ જમીન સંપાદન દરમિયાન ગેરરીતિઓને અટકાવવાનો અને વિકાસ પ્રોજેક્ટ્સ પર નાણાકીય બોજ ઘટાડવાનો છે.