ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો બદલો: પાકિસ્તાની સૈન્યએ BLAના 17 લડાકૂઓને ઠાર માર્યા
ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો બદલો: પાકિસ્તાની સૈન્યએ BLAના 17 લડાકૂઓને ઠાર માર્યા
Published on: 03rd June, 2026

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. ગત અઠવાડિયે ક્વેટા ટ્રેન હુમલાના બદલામાં, પાકિસ્તાની સૈન્યએ BLAના 17 લડાકૂઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા બળવાખોરોના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. પાકિસ્તાની સેનાએ આ ઓપરેશનની જાણકારી આપતા જણાવ્યું કે, આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. 24 મેના રોજ થયેલા આ ટ્રેન બ્લાસ્ટમાં 14 લોકોના મોત થયા હતા અને તેની જવાબદારી BLAએ લીધી હતી.