ટીમ ઈન્ડિયાની મેચ ચેન્નઈમાં, પણ T20 વર્લ્ડ કપના ભાગ્યનો નિર્ણય અમદાવાદમાં થશે.
ટીમ ઈન્ડિયાની મેચ ચેન્નઈમાં, પણ T20 વર્લ્ડ કપના ભાગ્યનો નિર્ણય અમદાવાદમાં થશે.
Published on: 26th February, 2026

ICC મેન્સ T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજનો દિવસ અત્યંત મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે એક જ દિવસે રમાનારી બે મોટી મેચો સેમીફાઈનલનું ચિત્ર સ્પષ્ટ કરી દેશે. આ માત્ર બે મુકાબલા નથી, પરંતુ ચાર ટીમોના ભાવિનો ફેંસલો છે. ચેન્નાઈમાં રમાનારી મેચમાં ભારત સામે ઝિમ્બાબ્વેનો પડકાર હશે. સાઉથ આફ્રિકા સામે 76 રનથી મળેલી કારમી હાર બાદ ભારતનો નેટ રન રેટ ઘણો નીચે જતો રહ્યો છે, તેથી ટીમ ઇન્ડિયા માટે હવે માત્ર જીત જ પૂરતી નથી, પરંતુ મોટા અંતરથી જીતવું અનિવાર્ય બન્યું છે.