અમદાવાદના 'પાઘડી મેન'એ નવરાત્રિ માટે બનાવી 5 કિલોની 'મા આદ્યશક્તિ' થીમ પાઘડી
અમદાવાદના 'પાઘડી મેન'એ નવરાત્રિ માટે બનાવી 5 કિલોની 'મા આદ્યશક્તિ' થીમ પાઘડી
Published on: 13th September, 2026

અમદાવાદના 'પાઘડી મેન' તરીકે જાણીતા અનુજ મુદલિયારે નવરાત્રિ પર્વ નિમિત્તે 5 કિલો વજન ધરાવતી 'મા આદ્યશક્તિ' થીમ આધારિત પાઘડી બનાવી છે. આ અનોખી પાઘડીને તૈયાર કરવામાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો. અનુજ મુદલિયાર વર્ષ 2016થી દર નવરાત્રિમાં અવનવી થીમ પર પાઘડીઓ બનાવવા માટે પ્રખ્યાત છે. માતાજીના શસ્ત્રો, સામૈયાનો કળશ અને ખેલૈયાઓની પ્રતિકૃતિઓ આ પાઘડીની વિશેષતા છે. કચ્છી વર્ક, ગોલવાડી કામ અને કોડી-જેકો મોતીથી સજ્જ આ પાઘડી નવરાત્રિમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.