વરાછાની મહારાણા પ્રતાપ શાળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 200 થી વધુ અનોખા પ્રોજેક્ટ રજૂ કરાયા
વરાછાની મહારાણા પ્રતાપ શાળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા 200 થી વધુ અનોખા પ્રોજેક્ટ રજૂ કરાયા
Published on: 13th September, 2026

સુરત પાલિકા સંચાલિત વરાછાની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 માં એક ભવ્ય વિજ્ઞાનમેળાનું આયોજન થયું, જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના અનોખા પ્રોજેક્ટ રજૂ કર્યા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા વિકસાવવાનો હતો. સૂર્ય ઊર્જા આધારિત સ્માર્ટ ગ્રાસ કટર, ઈમરજન્સી મોબાઈલ ચાર્જર અને સ્માર્ટ સોલર પેનલ જેવા ઉપયોગી પ્રયોગોએ સૌનું ધ્યાન ખેંચ્યું. આ વિજ્ઞાનમેળામાં ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦ થી વધુ વાલીઓએ હાજરી આપી બાળ વૈજ્ઞાનિકોની પ્રતિભાને બિરદાવી.