હરિદ્વાર-ઋષિકેશ મંદિરોમાં ફાટેલા જીન્સ-સ્કર્ટ પહેરીને એન્ટ્રી પર પ્રતિબંધ; 'Dress Code' ના પોસ્ટર લગાવાયા, ગરિમા જાળવવા અપીલ.
હરિદ્વાર-ઋષિકેશ મંદિરોમાં ફાટેલા જીન્સ-સ્કર્ટ પહેરીને એન્ટ્રી પર પ્રતિબંધ; 'Dress Code' ના પોસ્ટર લગાવાયા, ગરિમા જાળવવા અપીલ.
Published on: 12th February, 2026

હરિદ્વાર અને ઋષિકેશના મંદિરો બહાર Dress Code ના પોસ્ટરો લગાવાયા છે, જેમાં ટુંકા વસ્ત્રો, હાફ પેન્ટ, બરમુડા, મિની સ્કર્ટ અને ફાટેલા જીન્સ પહેરીને ન આવવા અનુરોધ કરાયો છે. શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં ગરિમા જાળવવા અપીલ કરવામાં આવી છે. મંદિર મેનેજમેન્ટે ધાર્મિક સ્થળોની ગરિમા જાળવવા આ પગલું ભર્યું છે. નિયમોનું પાલન ન કરનારાઓને બહારથી દર્શન કરવા પડશે. ISKCON મંદિરમાં પણ આ પ્રકારના પોસ્ટરો લાગ્યા છે.