જીલણા એકાદશીએ દ્વારકાધીશના બાલસ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર: બાલસ્વરૂપ રાજાધિરાજનું નગરભ્રમણ અને કકલાશ કુંડમાં સ્નાન.
જીલણા એકાદશીએ દ્વારકાધીશના બાલસ્વરૂપને ગાર્ડ ઓફ ઓનર: બાલસ્વરૂપ રાજાધિરાજનું નગરભ્રમણ અને કકલાશ કુંડમાં સ્નાન.
Published on: 05th August, 2025

પવિત્રા એકાદશી (જીલણા એકાદશી) નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરના વિશેષ ઉત્સવમાં રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ કકલાશ કુંડમાં સ્નાન કરે છે. આ કુંડનું મહત્વ એ છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણે નોળિયારૂપી ભૃગરાજાનો ઉધ્ધાર કરેલો હતો. ઠાકોરજીના બાલસ્વરૂપને મંદિરેથી લાવી પૂજન કરી પંચામૃતથી સ્નાન કરાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. દ્વારકાધીશને દ્વારકા પોલીસ અને એસ.આર.પી.ના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપે છે.