ભગવાનને અષાઢી બીજે ધરાવો પરંપરાગત અને અનોખા પકવાન
ભગવાનને અષાઢી બીજે ધરાવો પરંપરાગત અને અનોખા પકવાન
Published on: 16th July, 2026

અષાઢી બીજના શુભ અવસરે, ભગવાનને ધરાવવા માટે પરંપરાગત કચ્છી પકવાનોનું મહત્વ છે. ભુજના મંદિરોમાં 37 વર્ષ સુધી અન્નકૂટ બનાવનારા 70 વર્ષીય નિર્મળાબેન ભગવાનજીભાઈ જોષી પાસેથી ભગવાનને કેવો થાળ ધરાવી શકાય તે અંગે રસપ્રદ માહિતી મેળવી શકીએ છીએ. તેઓ જણાવે છે કે સમય સાથે ભોગમાં પરિવર્તન આવ્યું છે. પહેલાં 'ઠોર' ધરાવાતું, જેનું સ્થાન હવે 'સાટા'એ લીધું છે. 18 દિવસ સુધી ચાલતા અને 50-60 કિલો સામગ્રીના અન્નકૂટ બનાવવામાં તેમને ક્યારેય થાક લાગતો નહોતો, તે ભગવાનનો ચમત્કાર માનતા. ભુજના દ્વારકાધીશ મંદિર માટે તેઓ શંખ-ચક્ર-ગદા-પદ્મ આકારની વિશેષ મીઠાઈઓ પણ બનાવતા હતા.