છોટાઉદેપુર: નસવાડીમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન
છોટાઉદેપુર: નસવાડીમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન
Published on: 16th July, 2026

અષાઢ સુદ બીજના પાવન અવસરે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. ભગવાન જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરી ખાતે આવેલું છે. રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં રથમાં બિરાજીને ભક્તોને દર્શન આપવા નગરવિહાર કરે છે, જેનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે નસવાડી નગરમાં સૌપ્રથમવાર યોજનાર જગન્નાથજીની રથયાત્રાને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૌરાણિક માન્યતા મુજબ, આ સ્વરૂપે ભગવાન કલિયુગમાં જગન્નાથ તરીકે પ્રગટ થશે. ગુજરાતમાં અમદાવાદની જગન્નાથ રથયાત્રા વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.