34 વર્ષથી સળંગ મુંબઈથી માતાના મઢ સાઇકલ યાત્રા
34 વર્ષથી સળંગ મુંબઈથી માતાના મઢ સાઇકલ યાત્રા
Published on: 16th July, 2026

આસ્થા અને શ્રદ્ધા જ્યારે હૃદયમાં હોય ત્યારે વ્યક્તિ કોઈપણ પરિબળોને અવગણી લક્ષ્ય સિદ્ધ કરે છે. મૂળ બિદડા ગામના 62 વર્ષીય લક્ષ્મીચંદ કાકુજી સંગારે આ વાત સાબિત કરી છે. સુરતમાં ધોધમાર વરસાદ અને કચ્છના તેજ પવન સામે પણ તેમણે હિંમત હારી નથી. મુંબઈથી માતાના મઢ સુધીની 13 દિવસીય સાઇકલ યાત્રા તેમણે સળંગ 34 વર્ષથી જાળવી રાખી છે. આ યાત્રા દરમિયાન તેમને કોઈ ખર્ચ થયો નથી, સેવાભાવીઓએ સહાય કરી.