વડોદરાની જગન્નાથ રથયાત્રા: સેન ફ્રાન્સિસ્કોના રથ જેવી ડિઝાઇન
વડોદરાની જગન્નાથ રથયાત્રા: સેન ફ્રાન્સિસ્કોના રથ જેવી ડિઝાઇન
Published on: 16th July, 2026

વડોદરામાં 45 વર્ષ પહેલાં જગન્નાથ રથયાત્રા માટે ઇસ્કોને સેન ફ્રાન્સિસ્કોમાં 1967માં અપનાવાયેલ રથનું મોડેલ પસંદ કર્યું. આનું કારણ વડોદરાના સાંકડા રસ્તા, ઇલેક્ટ્રિક લાઇનો અને ઝરુખા જેવી ભૌગોલિક પડકારો હતી, જે સેન ફ્રાન્સિસ્કો જેવી જ હતી. અમેરિકામાં પણ ત્યાંના રસ્તાઓ પર લટકતા પાવર કેબલ્સ અને સિગ્નલોમાંથી પસાર થવા માટે ટેલિસ્કોપિક શીખરવાળો રથ બનાવવામાં આવ્યો હતો. વડોદરાના રથનું શિખર પણ હાઇડ્રોલિક સંચાલિત છે, જે જરૂર પડ્યે નીચું કરી શકાય છે, જેથી વાયરો કે અન્ય અવરોધો નડે નહીં.