મંગળા આરતી, ભક્તિમય માહોલમાં 149મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન
મંગળા આરતી, ભક્તિમય માહોલમાં 149મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન
Published on: 16th July, 2026

અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રાનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો. ભગવાન જગદીશ, સુભદ્રા અને બલદેવ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા. વહેલી સવારે મંગળા આરતી બાદ, મહંત દિલીપ દાસજીના હસ્તે ત્રણેય રથ પર બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પહિંદ વીધી સંપન્ન કરાઈ. ત્યારબાદ, "જય રણછોડ માખણ ચોર"ના ગગનભેદી નારા સાથે 149મી રથયાત્રાએ નીજ મંદિરથી પ્રયાણ કર્યું.