દાહોદમાં 19મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
દાહોદમાં 19મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
Published on: 16th July, 2026

દાહોદમાં આજે ભગવાન જગન્નાથજીની 19મી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે. ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2008થી શરૂ થયેલી આ પરંપરિક રથયાત્રા અષાઢી બીજના રોજ સવારે 8:30 કલાકે રણછોડરાયજી મંદિરેથી પ્રારંભ થશે. મહાનુભાવોના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રા તેના નિયત રૂટ પર આગળ વધશે. વિવિધ સ્થળોએ સ્વાગત, મહાપ્રસાદી, અને ઠેર ઠેર સેવાભાવીઓ દ્વારા વ્યવસ્થા કરાશે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.