વડોદરા વાઘોડિયા દ્વારકાધીશ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની રથયાત્રા
વડોદરા વાઘોડિયા દ્વારકાધીશ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની રથયાત્રા
Published on: 16th July, 2026

વાઘોડિયા ખાતેના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ઠાકોરજીને રથમાં બિરાજમાન કરી, ધાર્મિક વિધિ સાથે મંદિર પરિસરમાં રથયાત્રા કાઢવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોએ રથ ખેંચી ધન્યતા અનુભવી અને ઠાકોરજીના દર્શન કરીને ભાવવિભોર થયા હતા. ઠાકોરજીને મગ અને જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો.