બારડોલીમાં ગૌબર અને ગૌમૂત્રમાંથી શ્રીજી પ્રતિમા નિર્માણ
બારડોલીમાં ગૌબર અને ગૌમૂત્રમાંથી શ્રીજી પ્રતિમા નિર્માણ
Published on: 14th September, 2026

બારડોલીના સુંદરમ્ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પર્યાવરણને અનુકૂળ ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ગૌમૂત્ર અને ગાયના ગોબરનો ઉપયોગ કરીને, આ મૂર્તિઓ સુપર ઇકો-ફ્રેન્ડલી છે. અશ્વિન બલદાણિયા અને તેમની ટીમ દ્વારા વર્ષોથી ગૌમાતાના ગોબર અને ગૌમૂત્રમાંથી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ થાય છે. આ મૂર્તિઓ જમીન કે પાણીને નુકસાન પહોંચાડતી નથી, અને વિસર્જન બાદ છોડ માટે ખાતર કે જળચર જીવો માટે પૌષ્ટિક ખોરાક બની જાય છે. વિવિધ સાઈઝ અને વાજબી કિંમતમાં ઉપલબ્ધ આ મૂર્તિઓ પ્રકૃતિ જતનમાં પ્રેરણારૂપ છે.