૨૬ વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો શુભ સંયોગ
૨૬ વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો શુભ સંયોગ
Published on: 14th September, 2026

આજથી ગણેશજીના પવિત્ર ઉત્સવની શરૂઆત થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે ૨૬ વર્ષ બાદ કેવડા ત્રીજ અને ગણેશ ચતુર્થીનો અનોખો સંયોગ એક જ દિવસે મનાવવામાં આવશે. કેવડા ત્રીજ, જેને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે, તે ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે. આ દિવસે મહિલાઓ કઠિન વ્રત રાખે છે, જેમાં પાણી પણ પીવામાં આવતું નથી. આ વખતે માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની પૂજા એક સાથે થશે. આ ઉત્સવ દરમિયાન પૂજા-વિધિ, વ્રતના નિયમો અને દરરોજ શું કરવું તે અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.