ST નોકરી છોડી સેવા યજ્ઞ: 43 વર્ષમાં 135 થી વધુ માનસિક દિવ્યાંગોને મળ્યું નવજીવન
ST નોકરી છોડી સેવા યજ્ઞ: 43 વર્ષમાં 135 થી વધુ માનસિક દિવ્યાંગોને મળ્યું નવજીવન
Published on: 14th September, 2026

પોરબંદરમાં ST ડ્રાઇવરની નોકરી છોડીને પ્રાગજીબાપાએ 43 વર્ષ પૂર્વે માનસિક દિવ્યાંગોની સેવા શરૂ કરી. તેમના અથાગ પ્રયાસોથી આજે એક આશ્રમ બની ગયો છે, જ્યાં 80 થી વધુ માનસિક દિવ્યાંગોની નિષ્ઠાપૂર્વક સારવાર અને દેખભાળ કરવામાં આવે છે. છેલ્લા 43 વર્ષમાં, આ આશ્રમે 135 થી વધુ પરમહંસોને સ્વસ્થ કરીને તેમને સમાજમાં પુનઃસ્થાપિત કર્યા છે. પ્રાગજીબાપાના આ સેવાયજ્ઞએ માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.