અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ બહારના દબાણો દૂર કરવા ST નિગમ દ્વારા AMC-પોલીસને રજૂઆત.
અમદાવાદ: ગીતામંદિર બસ સ્ટેન્ડ બહારના દબાણો દૂર કરવા ST નિગમ દ્વારા AMC-પોલીસને રજૂઆત.
Published on: 07th August, 2025

અમદાવાદના ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ બહાર ટ્રાફિક અને દબાણોથી મુસાફરો પરેશાન છે. લારી-ગલ્લાઓથી ગંદકી અને રિક્ષાવાળાઓની દાદાગીરીથી પેસેન્જરોને તકલીફ પડે છે. આથી ST નિગમના વિભાગીય નિયામકે AMC અને પોલીસ કમિશનરને પત્ર લખી દબાણો દૂર કરવા અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા જણાવ્યું છે. અગાઉ પણ પત્રો લખ્યા છે, પરંતુ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.