રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
રૂ. 5 કરોડના ખર્ચે બનેલા નાળાની સુરક્ષા જાળી હટાવી તંત્રની બેદરકારી
Published on: 29th July, 2026

વડોદરા કોર્પોરેશ દ્વારા ડભોઈ રોડ પર રૂ. 5 કરોડના ખર્ચે મહાનગર નાળાની સફાઈ અને નવી પાઇપલાઇનનું કામ થયા બાદ અધિકારીઓએ કચરો રોકવા લગાવેલી સુરક્ષા જાળી હટાવી દીધી છે. કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીએ આક્ષેપ કર્યો કે આ ગંભીર બેદરકારીને કારણે નાળું ફરી ચોકઅપ થઈ જશે, જેનાથી કરદાતાના નાણાંનો વ્યય થશે. 30 વર્ષ બાદ થયેલા આ કાર્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.