અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
અમદાવાદ પ્લેન ક્રેશમાં સરકારનો ખુલાસો: "ફ્યુલ કન્ટ્રોલ સ્વિચમાં ખામી નહોતી"
Published on: 29th July, 2026

અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. સંસદમાં સરકારે જણાવ્યું કે ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી મળી નથી. જોકે, થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ અમેરિકામાં ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસમાં કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી હોતી. AAIBના રિપોર્ટમાં વિલંબ નથી. સુપ્રીમ કોર્ટે પણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માહિતી ગોપનીય રાખવાનો આદેશ આપ્યો છે.