વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
વીરપુરના જલારામ ધામમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી
Published on: 29th July, 2026

ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વીરપુર સ્થિત સુપ્રસિદ્ધ જલારામ ધામ ખાતે ભક્તોનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો. દેશ-વિદેશથી હજારો ભાવિકો પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન અને ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વીરપુર "જય જલારામ"ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સંત શ્રી જલારામબાપાના ધામનું ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન પણ કરવામાં આવ્યું.