વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
વલસાડમાં પૂરન લીધે છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાતાં સ્મશાનનો માર્ગ બંધ
Published on: 29th July, 2026

વલસાડ શહેરમાં વિનાશક પૂરે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. છીપવાડ ગરનાળાનો રસ્તો ધોવાઈ જતાં સ્મશાનનો માર્ગ બંધ છે. આ કારણે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્વજનોને તિથલ સ્મશાન સુધી જવું પડે છે, જે એક દુઃખદ અને સંવેદનશીલ પરિસ્થિતિ છે. 23મી જુલાઈથી અત્યાર સુધીમાં તિથલ સ્મશાનમાં 25થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરાઈ છે. સ્થાનિકોએ ગરનાળાની મરામતની તાત્કાલિક માગ કરી છે.