ભરૂચના પંડવાઈ શુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ અને વલ્લભની પેનલ આમને-સામને
ભરૂચના પંડવાઈ શુગરની ચૂંટણીમાં ઈશ્વરસિંહ અને વલ્લભની પેનલ આમને-સામને
Published on: 23rd August, 2026

ભરૂચ જિલ્લાની પંડવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીમાં રાજકીય ગરમાવો છે. 10 વર્ષ બાદ યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વલ્લભ પટેલ અલગ-અલગ પેનલ સાથે મેદાનમાં છે. સહકાર પેનલ દ્વારા હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં 16 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા. મંત્રી ઇશ્વરસિંહ પટેલે શક્તિપ્રદર્શન સાથે નામાંકન ભર્યું. બીજી તરફ, વલ્લભ પટેલે પણ પોતાની પેનલ સાથે 12 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 33 ફોર્મ ભરાયા હતા, જ્યારે સહકાર પેનલના પાંચ ઉમેદવારો બિનહરીફ્ થયા છે. 24 ઓગસ્ટે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને 5 સપ્ટેમ્બરે મતદાન થશે.