
સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શૃંગાર: શ્રાવણ શુક્લ નવમીએ વિશેષ શણગાર અને પ્રાચીન 12 સૂર્યમંદિરોની સ્મૃતિ કરાવાઈ.
Published on: 03rd August, 2025
સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ નવમીએ સૂર્ય દર્શન શૃંગાર કરાયો. જેમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર સૂર્યદેવની પ્રતિકૃતિ સાથે પુષ્પો અને હારથી શણગાર કરાયો. આ શણગાર પ્રાચીન પ્રભાસ ક્ષેત્રના 12 સૂર્યમંદિરોની સ્મૃતિને તાજી કરે છે. સૂર્યને પરબ્રહ્મ મનાય છે, તેમનું તેજ પૃથ્વી સુધી પહોંચે છે અને સૂર્યની ઊર્જા જીવનચક્ર ચલાવે છે. તે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. શિવ અને સૂર્યનું સંયોજન બ્રહ્માંડનું સંતુલન દર્શાવે છે. શ્રાવણમાં યાત્રીઓ ધન્ય બન્યા.
સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શૃંગાર: શ્રાવણ શુક્લ નવમીએ વિશેષ શણગાર અને પ્રાચીન 12 સૂર્યમંદિરોની સ્મૃતિ કરાવાઈ.

સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ નવમીએ સૂર્ય દર્શન શૃંગાર કરાયો. જેમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર સૂર્યદેવની પ્રતિકૃતિ સાથે પુષ્પો અને હારથી શણગાર કરાયો. આ શણગાર પ્રાચીન પ્રભાસ ક્ષેત્રના 12 સૂર્યમંદિરોની સ્મૃતિને તાજી કરે છે. સૂર્યને પરબ્રહ્મ મનાય છે, તેમનું તેજ પૃથ્વી સુધી પહોંચે છે અને સૂર્યની ઊર્જા જીવનચક્ર ચલાવે છે. તે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. શિવ અને સૂર્યનું સંયોજન બ્રહ્માંડનું સંતુલન દર્શાવે છે. શ્રાવણમાં યાત્રીઓ ધન્ય બન્યા.
Published on: August 03, 2025