શ્રીનગરમાં સેનાનું ‘ઓપરેશન મહાદેવ’: પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ ઠાર, લિડવાસમાં સર્ચ ઓપરેશન ચાલુ.
શ્રીનગરમાં સેનાનું ‘ઓપરેશન મહાદેવ’: પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ ઠાર, લિડવાસમાં સર્ચ ઓપરેશન ચાલુ.
Published on: 28th July, 2025

જમ્મુ-કાશ્મીરના લિડવાસમાં સેનાનું ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં પહેલગામ હુમલાના 3 આતંકવાદીઓ ઠાર થયા છે. ચિનાર કોર્પ્સે જણાવ્યું કે ઓપરેશન મહાદેવ હેઠળ લિડવાસમાં આતંકવાદીઓ સાથે સંપર્ક થયો. પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. તપાસમાં ત્રણ આતંકવાદીઓના નામ સામે આવ્યા હતા, જેમાં મુસા પાકિસ્તાની છે અને તે સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે. પહેલગામ હુમલા સામે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું હતું.