અમદાવાદની સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટોની અછત
અમદાવાદની સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં ફાર્માસિસ્ટોની અછત
Published on: 13th September, 2026

અમદાવાદ શહેરની Maniben Ayurvedic Hospital માં ફાર્માસિસ્ટોની ગંભીર અછત દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. મંજૂર મહેકમ સામે ઘણી ઓછી સંખ્યામાં ફાર્માસિસ્ટ ઉપલબ્ધ છે. શહેરમાં 25 આયુર્વેદ ડિસ્પેન્સરીમાંથી માત્ર 3 માં જ ફાર્માસિસ્ટ છે, બાકીની 22 માં ડોક્ટરોએ દવા વિતરણની કામગીરી પણ સંભાળવી પડે છે. આના કારણે દર્દીઓને દવાઓ માટે લાંબી રાહ જોવી પડે છે અને ડોક્ટરો પર પણ વધારાનું ભારણ આવે છે. તાત્કાલિક ભરતીની માગ ઉઠી રહી છે.