જામનગર જી.જી. હોસ્પિટલમાં તહેવારો બાદ તાવ, શરદી-ઉધરસના દર્દીઓની ભારે ભીડ
જામનગર જી.જી. હોસ્પિટલમાં તહેવારો બાદ તાવ, શરદી-ઉધરસના દર્દીઓની ભારે ભીડ
Published on: 12th September, 2026

જામનગર શહેરમાં તહેવારો પૂર્ણ થયા બાદ બીમારીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે દરરોજ 1400-1600 ઓપીડી નોંધાતી હતી, જે હવે 2100-2200 સુધી પહોંચી છે. ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ વધુ છે. તહેવારો દરમિયાન લોકોની ભીડ અને અવરજવર બાદ વાયરલ તથા અન્ય બીમારીઓમાં વધારો થયો છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાએ રોગચાળો વકરે તે પહેલાં સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.